ડાયાબિટીસ, આર્થરાઈટિસ અને હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા દર્દીઓએ ડૉક્ટર કે નિષ્ણાતોની સલાહ વગર કોઈપણ શાકભાજી કે ફળનાં જ્યૂસનું સેવન કરવુ જોઈએ નહી. આ જ્યૂસ તમારા શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.
હેલ્થ એક્સપર્ટની માનીએ તો કાચા ફળો અને શાકભાજીનો ઉકાળો કે જ્યૂસ બનાવીને પીવાથી કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ કે અલ્સરની સમસ્યાઓ થવાની સંભાવનાઓ વધી શકે છે. સામાન્ય રીતે લોકો જ્યૂસનું સેવન પોતાની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે અને શરીરને ડિટોક્સ કરવા માટે પીવામાં આવે છે. ડાયટિશન કામિની સિન્હાનું કહેવુ છે કે, ફળો અને શાકભાજીઓનાં કોમ્બિનેશનની યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકો જે જ્યૂસનું નિયમિત સેવન કરે છે, તે તેના શરીરમાં ટોક્સિન્સનું પ્રમાણ વધારવા માટે જવાબદાર બને છે.’
લીંબૂ અને નારિયેળ પાણીનું વધુ પડતું સેવન કિડની પર ખરાબ અસર પાડી શકે
લીંબૂમાં વિટામીન-C સિવાય પોટેશિયમ પણ વધુ માત્રામાં હોય છે. નારિયેળ પાણીમાં પણ પોટેશિયમ અને ફોસ્ફર, જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. જો તમે દિવસમાં 2-3 વાર લીંબૂ પાણી કે નારિયેળ પાણીનું સેવન કરો છો તો તે તમારી કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
સાઇટ્રસ ફળોની સાથે ઓક્સાલેટ રિચ ફૂડ ખાવાથી પથરીનું જોખમ વધી શકે
સાઇટ્રસ અથવા ખાટા ફળોની સાથે ઓક્સાલેટ રિચ ફૂડ જેમ કે, પાલક, બીટરૂટ અને પાંદડાવાળા શાકભાજીનો રસ કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. વિટામિન-Cથી ભરપૂર ફળો શરીરમાં ઓક્સાલેટની માત્રા વધારે છે અને વધુ પડતુ રસના સેવનથી તમારા શરીરમાં ઓક્સાલેટ ક્રિસ્ટલ્સ બનવા લાગે છે, જે કિડનીમાં જમા થાય છે. તેનાથી પથરી અને કિડનીને લગતી બીમારીઓ થઈ શકે છે.
જો તમે કિડનીનાં દર્દી છો તો લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ અને સાઇટ્રસ ફળો એકસાથે ન લેશો. તે શરીરમાં પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે. જો કે, જ્યૂસ લિવર માટે સારુ છે, પરંતુ જો તમે તેને લેવાની યોગ્ય રીત ન જાણતા હોવ તો તે તમારા શરીરનાં બીજા અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
More Stories
Navratri 2025: नवरात्रि व्रत रखते हुए अनजाने में होती हैं 5 गलती, गैस-एसिडिटी से हालत हो जाएगी बुरी
20,000 વર્ષ જૂનું પેન્ડન્ટ મળ્યું. ડીએનએ બતાવે છે કે તે કોણે પહેર્યું હતું.
કેફીન વિના કેવી રીતે ઊર્જાવાન રહેવું? ન્યુટ્રિશનિસ્ટ દ્વારા આપવામાં આવેલી 5 મહત્વની ટીપ્સ.